Tar Fencing Yojana 2025: તાર ફેન્સીંગ યોજના હેઠળ 50 % સુધી સબસીડી

Tar Fencing Yojana 2025: તાર ફેન્સીંગ યોજના: ગુજરાત રાજ્યના કૃષિ અને સહકાર વિભાગ દ્વારા ખેડૂતો માટે ઘણી બધી યોજનાઓ બનાવેલ છે. ખેડૂતો માટે તાડપત્રી યોજના, કિસાન પરિવહન યોજના વગેરે ઑનલાઇન મૂકવામાં આવેલ છે. હવે Tar Fencing Yojana 2025 આવ્યા છે. જે મુજબ ખેડૂતો હવે ખેતરમાં કાંટાળા તાર ફેન્સિંગ યોજનાનો લાભ લેવા માટે પણ ઓનલાઇન અરજી કરી શકશે. જેની તમામ માહિતી આજે આપને મેળવીશું.

Tar Fencing Yojana 2025

યોજનાનું નામ Tar Fencing Yojana 2025
આર્ટીકલની ભાષા ગુજરાતી અને અંગ્રેજી
યોજનાનો ઉદ્દેશ ખેડૂતોને સબસીડી દ્વારા જમીનના ફરતે પાક રક્ષણ હેતુ ફેન્‍સીંગ તાર સહાય
લાભાર્થી ગુજરાતના ખેડૂતો
સહાયની રકમ – આ અગાઉ 5 હેકટર જમીનમાં લાભ મળતો હતો, હવે માત્ર 2 હેકટર જમીન વિસ્તાર માટે પણ કંટાળા તાર ફેનસિંગ યોજનાનો લાભ લઈ શકાશે. – જમીનના કલસ્ટર અનુસાર લાભાર્થીઓના જૂથની અરજીઓ અંગેરનીંગ મીટર દીઠ રૂપિયા 200/- સહાય મળશે.- ખરેખર થનાર ખર્ચના 50% બેમાંથી જે ઓછું હોય તે સહાય મંજુર થશે.
અરજી કરવાની તારીખ તા.12/02/2025 થી તા.18/02/2025 સુધી
માન્ય વેબસાઈટ https://ikhedut.gujarat.gov.in/  

તાર ફેન્સીંગ યોજનાનો હેતુ

ખેડૂતો પોતાના ઉભા પાકને રોઝ, ભૂંડ તથા જંગલી પ્રાણીઓથી બચાવવા માટે આ યોજના બહાર પાડેલી છે. જેમાં ખેતરને ફરતે લોખંડની કાંટાવાળી વાડ બનાવવાની રહેશે. સરકાર દ્વારા ખેડૂતને કાંટાવાળી વાડ બનાવવા માટે 2 હેક્ટર જમીન હોય તેવા ખેડૂતને પણ ખેતર ફરતે રનિંગ મીટર દીઠ ₹ 200 અથવા કુલ ખર્ચના 50% બંનેમાંથી જે ઓછુ હોય તે સહાય આપવામાં આવે છે. જેથી ખેડૂત પોતાના ખેતર ફરતે કાંટાવાળી વાડ બનાવી પોતાના પાકનું રક્ષણ કરી શકે છે.

યોજના માટેની પાત્રતા

આ યોજનાનો લાભ મેળવવા માટે યોજનાની કેટલીક પાત્રતા નક્કી કરેલી છે. જે નીચે મુજબ છે.

  • આ યોજનામાં સામાન્ય વર્ગના ખેડૂતો, સામાન્ય વર્ગના નાના/સિમાંત; મહિલા ખેડૂતો, અનુસુચિત જાતિ અને અનુસુચિત જનજાતિના ખેડૂતોને મળવાપાત્ર છે.
  • આ યોજનાનો લાભ ખેડૂત એક જ વખત લઈ શકશે.
  • આ યોજનાનો પુનઃ લાભ મેળવવાની ઓછમાં ઓછી સમય મર્યાદા 10 વર્ષ છે.
  • ખેડૂતે ખાતા દ્વારા વખતોવખત જાહેર કરેલ પ્રાઇઝ ડીસ્કવરીના હેતું માટે તૈયાર કરેલ પેનલમાં સમાવિષ્ટ ઉત્પાદકના અધિકૃત વિકેતા પાસેથી લાભાર્થી ખેડૂતે ખરીદી કરવાની રહે છે.

લાભાર્થીની પાત્રતા

આ યોજનાનો લાભ લેવા માટે કેટલીક પાત્રતા નક્કી કરેલી છે. જે નીચે મુજબ છે.

  1. લાભાર્થી ખેડૂત ગુજરાતનો વતની હોવો જોઈએ.
  2. ખેડૂત પાસે પોતાની જમીન હોવી જોઈએ.
  3. અરજદાર પાસે ઓછામાં ઓછી 2 હેક્ટર વિસ્તારની જમીન ધરાવતા ખેડૂત આ યોજના હેઠળ અરજી કરી શકશે.
  4. ખેડૂત દ્વારા અગાઉ તાર ફેન્સિંગ યોજનાનો લાભ લીધેલ ન હોવો જોઈએ.
  5. આ યોજનાનો લાભ જે-તે સર્વે નંબરમાં માત્ર એક વખત મળવાપાત્ર રહેશે.
  6. અરજદાર ખેડૂતે 7-12 તથા 8-અ ની નકલ રજુ કરવાની રહેશે.
  7. સરકાર દ્વારા નક્કી કરાયેલ ડિઝાઈન તથા ધારા-ધોરણો (સ્પેશિફિકેશન ) મુજબની વાડ બનાવવાની રહેશે.
  8. ઓનલાઈન અરજી કર્યેથી સહાયની પુર્વ મંજૂરી મળ્યા બાદ ખેડૂત દ્વારા ખેતર ફરતે કાંટાવાળી વાડ બનાવવાની કામગીરી 120 દિવસમાં પુરી કરવાની રહેશે.

તાર ફેન્‍સીંગ યોજના માટે ક્યાં-ક્યાં ડોક્યુમેન્‍ટ જોઈએ?

khedut portal દ્વારા વિવિધ સરકારી યોજનાઓના ઓનલાઈન ફોર્મ ભરવાના ચાલુ થયેલ છે. આ યોજનાનું ઓનલાઈન ફોર્મ ભરવા માટે નીચે મુજબના Document જોઈશે.

1. ખેડૂતનું આધારકાર્ડની નકલ

2. ikhedut portal 7-12

3. રેશનકાર્ડની નકલ

4. અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિનું સર્ટિફિકેટ

5. વિકલાંગ લાભાર્થી માટે વિકલાંગ હોવા અંગેનું સર્ટિફિકેટ (જો હોય તો)

6. જમીનના 7/12 અને 8-અ માં જો સંયુક્ત ખાતેદાર હોય તો તેવા કિસ્સામાં અન્ય હિસ્સેદારના સંમતિપત્રક

7. આત્માનું રજીસ્ટ્રેશન ધરાવતા હોય તો તેની વિગતો

8. સહકારી મંડળીના સભ્ય હોય તો તેની વિગતો

9. દૂધ ઉત્પાદક મંડળીના સભ્ય હોય તો

10. બેંક ખાતાની પાસબુક

How to Online Apply Tar Fencing Yojana 2025

  1. અરજદારે સૌપ્રથમ ‘Google Search” માં ‘ikhedut Portal’ ટાઈપ કરવાનું રહેશે.
  2. જે પરિણામ આવે તેમાંથી અધિકૃત https://ikhedut.gujarat.gov.in/ વેબસાઈટ ખોલવી.
  3. ikhedut Portal વેબસાઈટ ખોલ્યા પછી “યોજના” પર ક્લિક કરવું.
  4. જેમાં યોજના પર Click કર્યા પછી ક્રમ-1 પર આવેલી “ખેતીવાડી ની યોજનાઓ” ખોલવું.
  5. “ખેતીવાડી ની યોજના” ની “કૃષિ યાંત્રીકરણ/પોસ્ટ હાર્વેસ્ટ ના ઘટકો” ની અલગ-અલગ યોજનાઓ બતાવશે.
  6. જેમાં “તારની વાડ” નામની યોજના પર ક્લિક કરવાની રહેશે.
  7. જેમાં આ યોજનાની તમામ માહિતી વાંચ્યા બાદ “અરજી કરો” તેના પર Click કરીને Website ખોલવાની રહેશે.
  8. હવે તમે રજીસ્ટર અરજદાર ખેડૂત છો? જેમાં જો અગાઉ રજીસ્ટ્રેશન કરેલ હોય તો “હા” અને નથી કર્યું તો “ના” કરી આગળ પ્રોસેસ કરવાની રહેશે.
  9. અરજદાર દ્વારા રજીસ્ટ્રેશન કરેલું હોય તો આધારકાર્ડ અને મોબાઈલ નંબર નાખ્યા બાદ Captcha Image સબમીટ કરવાની રહેશે.
  10. જો લાભાર્થી ખેડૂતેએ આઈ ખેડૂત પોર્ટલ રજીસ્ટ્રેશન કરેલું નથી તો ‘ના’ સિલેકટ કરીને ઓનલાઈન ફોર્મ ભરવું.
  11. ખેડૂત ઓનલાઈન ફોર્મમાં સંપૂર્ણ ચોક્કસાઈપૂર્વક માહિતી ભર્યા બાદ Application Save કરવાની રહેશે.
  12. લાભાર્થી ખેડૂતોએ ફરીથી વિગતો Check કરીને Application Confirm કરવાની રહેશે.
  13. ઓનલાઈન અરજી કન્‍ફર્મ થયા બાદ કોઈપણ પ્રકારનો સુધારો થશે નહીં.
  14. ખેડૂત અરજી નંબરના આધારે પ્રિ‍ન્‍ટ મેળવી શકશે.

Pradhan Mantri Kisan Samman Nidhi Yojana: પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના

Tadpatri Sahay Yojana 2025: તાડપત્રી સહાય યોજના હેઠળ રૂ.1875/- ની સહાય મળશે

અરજીનું સ્ટેટસ અને રિપ્રિન્‍ટ

અરજદાર પોતાની જાતે ikhedut application status check કરી શકે તથા ikhedut application print કઢાવી શકે છે. ખેડૂતોએ નીચેની link દ્વારા પોતાની અરજીનું ઓનલાઈન સ્ટેટસ અને પ્રિન્‍ટ મેળવી શકે છે.

1 એપ્લિકેશન સ્ટેટસ જાણવા માટે
2 એપ્લિકેશનની પ્રિન્‍ટ માટે

Leave a Comment