વિદ્યાસહાયકની ભરતીને લઈ સરકાર દ્વારા મહત્વનો નિર્ણય લીધો છે. જેમાં આગામી સમયમાં વિદ્યાસહાયકની ભરતી જાહેર થશે. જેમાં કામ ચલાઉ મેરીટ યાદી જાહેર થશે. 20 ફેબ્રુઆરીનાં રોજ સાંજે કામચલાઉ મેરીટ યાદી જાહેર થશે. વેબસાઈટ પર ઉમેદવારો મેરીટ યાદી જોઈ શકશે.
કેટલી જગ્યાઓ પર ભરતી હાથ ધરાશે
રાજ્યની સરકારી પ્રાથમિક શાળાઓમાં ધોરણ ૧ થી ૫ ની ૫૦૦૦ જગ્યાઓ, ધોરણ ૬ થી ૮ ની ૭૦૦૦જગ્યાઓ અને અન્ય માધ્યમની ૧૮૫૨ જગ્યાઓ એમ કુલ ૧૩૮૫૨ જગ્યાઓ ભરવા વિધાસહાયક ભરતીની જાહેરાત આપવામાં આવેલ.
વિદ્યાસહાયકોની ભરતીમાં ઉમેદવારોની વય મર્યાદામાં ઘટાડો કરવામાં આવ્યો છે. જેમાં ઉમેદવારોની વયમર્યાદામાં 1 વર્ષનો ઘટાડો કરવામાં આવ્યો છે. ત્યારે પહેલા બિન અનામતની વયમર્યાદા 18 થી 36 વર્ષ હતી. જેને આ વખથે બિન અનામતની વયમર્યાદા ઘટાડીને 18 થી 35 વર્ષ કરવામાં આવી છે.
આ ઉપરાંત SC, ST, SEBC EWS કેટગરીમાં પુરુષોની વયમર્યાદામાં ઘટાડો કરવામાં આવ્યો છે. જેમાં આ કેટેગરીમાં 1 વર્ષનો ઘટાડો કરવામાં આવ્યો હતો. ઉપરાંત SC, ST, SEBC EWS કેટગરીમાં પુરુષોની વયમર્યાદામાં 41 થી ઘટાડી 40 વર્ષ કરવામાં આવી હતી. જોકે સૂત્રોના જણાવ્યા અનુસાર SC, ST, SEBC EWS કેટગરીમાં મહિલાઓની વયમર્યાદામાં ઘટાડો કરવામાં આવ્યો નથી. ઉલ્લેખનીય છે કે 2022ની ભરતી વખતે બિન અનામતની વયમર્યાદા 18થી 36 વર્ષ રાખવામાં આવી હતી.
2022માં કોરોનાના પગલે છૂટછાટ અપાઈ હતી
ધોરણ-6થી 8ની ભરતીમાં વયમર્યાદા અગાઉ જે હતી તેનો અમલ ફરી કરાયો છે. 2022 વખતે ભરતીમાં કોરોનાના પગલે વયમર્યાદામાં એક વર્ષની છૂટછાટ આપવામાં આવી હતી. જોકે કોરોના પછી તે પત્રની મર્યાદા પૂર્ણ થતા ફરી જૂનો નિયમ અમલમાં આવતા વય મર્યાદા એક વર્ષ ઘટાડાયું હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.
Sabarmati Gas Ltd. Recruitment: સાબરમતી ગેસ લિ.માં વિવિધ જગ્યાઓ માટે ભરતી